ભાવનગર શહેરના જવાહર મેદાન આજુબાજુમાં કરાયેલા દબાણો આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા
ભાવનગરમાં પહેલીવાર એચસીજી હોસ્પિટલ દ્વારા અનોખી મીનિમલ ઇન્વેસીવ ડાયરેક્ટ કોરોનરી આર્ટરી ની સફળતા પૂર્વક બાયપાસ સર્જરી કરવામાં આવી.
નિલમબાગ પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
ભાવનગર કણબીવાડ નાની સડક બીપીનભાઇ રેશનશોપ વાળાની ગલ્લીમા જાહેર જગ્યામા જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઇચ્છતા ભાવનગર તાલુકાના ખેડૂતોએ આગામી તા.29 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે
રાતોરાત સફળતાના ગ્રાફને સડસડાટ સાધી લેનાર ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' માં એવું છે શું ?
ભાવનગર જિલ્લામાં કપાસમાં ગુલાબી ઈયળોના ઉપદ્રવથી પાક નિષ્ફળ, બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ
ભાવનગર જિલ્લાના મોટા ભાગના ખેડૂતો તેમની વાડી ખેતરોમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. પહેલા પ્રથમવાર બીટી બિયારણ આવ્યું ત્યારે એક વીઘા જમીનમાં 50 મણ કપાસનું ઉત્પાદન થતું હતું. સારું ઉત્પાદન થવાથી આવક વધવા લાગતા મોટાભાગના ખેડૂતો વાડી ખેતરોમાં બીટી બિયારણનું વાવેતર કરી કપાસનું વાવેતર કરવા લાગ્યા છે. સમય જતાં ઉત્પાદન ઘટ્યું અને દવાનો છંટકાવ કરવા છતાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાના કારણે એક વીઘો જમીનમાં 15થી 20 મણ કપાસ થવા લાગ્યો અને છેલ્લા ચાર પાંચ વર્ષથી સતત ઉત્પાદન ઘટવા લાગ્યું છે. બિયારણ, ખાતર અને દવાનો છંટકાવ કર્યો હોય તેનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ખએડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.
દેશી બિયારણ ખૂબ જ સારું હતું, એક વીઘે 30 મણ કપાસનું ઉત્પાદન થતુંઃ ખેડૂત
આ વર્ષે કપાસમાં ગુલાબી લીલી ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વઘ્યો અને સડો બેસી ગયો છે. કપાસના છોડ ચીકણા બની ગયા છે. અત્યારે જે કપાસનું વાવેતર કર્યુ છે તેમાં 15 વાર દવાનો છંટકાવ કરવામાં આવે છે. એક પંપનો ખર્ચ 70 રૂપિયા જેવો થાય છે. એક વીઘામાં આઠ-આઠ પંપ દવા છાંટવી પડે છે અને એક વીઘામાં એકવાર દવા છાંટવાનો ચાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ચાર વીઘા જમીનમાં બીટી કપાસનું વાવેતર કરનાર ખેડૂતે વ્યથા ઠાલવતા જણાવ્યુ હતું કે, ચાર વીઘા જમીનને ખેડી બીટી કપાસના બિયારણનું વાવેતર કર્યુ અને સારું ઉત્પાદન થાય તે માટે રાત-દિવસ મહેનત કરી પરંતુ જમીનમાં ઈયળો ઘૂસી ગઈ છે. હજારો રૂપિયાનો ખર્ચ કરી દવાનો છંટકાવ કર્યો પણ પરિણામ મળતું નથી. આ સંજોગોમાં એક વીઘે પાંચ મણનો ઉતારો આવે તો સારું. આ કરતાં દેશી બિયારણ ખૂબ જ સારું હતું. એક વીઘે 30 મણ કપાસનું ઉત્પાદન થતું હતું. જેમાં કોઈ પણ પ્રકારની દવા છાંટવી પડતી નહીં.
નવા નવા બિયારણો, રાસાયણિક ખાતર અને દવાના કારણે ખેત પેદાશો બગડી રહી છે
70 વર્ષના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં મારી આટલી ઉંમરમાં પાકમાં આવી જીવાત જોઈ નથી. નવા નવા બિયારણો, રાસાયણિક ખાતર અને દવાના કારણે ખેત પેદાશો બગડી રહી છે. દવાઓ એવી આવે છે એકવાર છાંટો અઠવાડીયું સારૂ લાગશે પાછો ઉપદ્રવ વધશે અને બીજી દવા છાંટવાની વધારે ઉત્પાદન લેવા ખેડૂતો ખર્ચ કરી રહ્યાં છે પણ ઉત્પાદન ઘટી રહ્યું છે. જમીન ખરાબ થઈ રહી છે અને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. સરકારે રસાયણિક ખાતર અને દવા પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે . પહેલા જે દેશી ખેતી હતી તે ખૂબ જ સારી હતી. ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ પાછા આવવું પડશે. ખર્ચ ઘટશે અને ઓર્ગેનિક ખેત ઉત્પાદન માર્કેટમાં આવશે તો લોકોનું આરોગ્ય સુધરશે અને દવાની પણ જરૂર નહીં પડે.
કંડોલીયા ફિલ્મ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ હવે ક્યારે મળીશું આજે થશે રિલીઝ
ભાવનગરના કંડોલીયા ફિલ્મ્સ નિર્મિત ગુજરાતી ફિલ્મ્સ "હવે ક્યારે મળીશું" આજે ગુજરાતના જાણીતા સીંનેમાં ઘરોમાં રિલીઝ થશે,હર્ષદ કંડોલીયા અને અંનમોલ શાહ નિર્મિત અને કંડોલીયા ફિલ્મ્સના બેનરમાં બનેલી ફિલ્મ "હવે ક્યારે મળીશું" માં ગુજરાતના બે સુપર સ્ટાર એવા જીગ્નેશ બારોટ અને રાજદીપ બારોટે અભિનય કર્યો છે તેમજ અભિનેત્રી શ્રેયા દવે અને પ્રિનલ ઓબરોય એ પણ પોતાની કલાના ઓજસ પાથર્યા છે, આ ફિલ્મમાં રાઇટર,સંવાદો,ગીતકાર તેમજ પ્રોડક્શનથી લઈને તમામ પ્રકારનું મેનેજમેન્ટ ભાવનગરના લોકો દ્વારા જ કરવામાં આવ્યું છે
અગાવ પણ હર્ષદ કડોલીયાએ "કેમરે ભુલાય સાજણ તારી પ્રીત" અને "સાજણ પ્રીતની જગમાં થશે જીત" જેવી બે ફિલ્મો રજૂ કરી હતી જેને દર્શકોએ ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો,ત્યારે તેમની નિર્માતા તરીકેની આ ત્રીજી ફિલ્મ "હવે ક્યારે મળીશું" ફિલ્મને પણ દર્શકો સહર્ષ સ્વીકારશે તેવી ફિલ્મના તમામ કલાકારો અને ટેક્નીશિયનોને આશા છે
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસ નોંધાતા હડકંપ
- શહેરમાં કોરોનાના 15 અને જિલ્લામાં 4 કેસ નોંધાતા ફફડાટ
કોરોના વાયરસના કેસ ભાવનગર શહેર અને જિલ્લામાં યથાવત જોવા મળી રહી છે તેથી લોકોમાં હડકંપ મચી જવા પામેલ છે. આજે ગુરૂવારે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં ૧પ અને જિલ્લામાં ૪ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.
ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૧પ કેસ નોંધાયા હતા, જેમાં ૧૦ પુરૂષ અને પ ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ૪ કેસ નોંધાયા છે, પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામ ખાતે ૨, ઘોઘા તાલુકાના પાણીયાળા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. આજે રપ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૧પ અને તાલુકાના ૧૦ દર્દીનો સમાવેશ થાય છે.
આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૪પપ૦ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૧૪૦ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪૩૩પ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૮ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. કોરોનાથી બચવા લોકોએ માસ્ક, સામાજીક અંતર, સાબુથી હાથ ધોવા વગેરે નિયમનુ પાલન કરવુ ખુબ જરૂરી છે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જીએસએફસીના આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉત્પાદિત કેલ્શિયમ નાઇટ્રેટ્ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ્ના વેચાણનો શુભ આરંભ કરાવ્યો
જીએસએફસી દ્વારા આત્મવનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ૧૦૦ ટ્કા આયાત કરાતા આ બંને રસાયણોનું દેશમાં પ્રથમ વખત ઉત્પાદન કરાયુ.
શ્રી માંડવિયા એ કેન્દ્ર સરકારની અન્ય કંપનીઓએ આયાત કરાતા ઉત્પાદનોની ઓળખ કરી દેશમાં જ નિર્માણ કરવા નિર્દેશ આપ્યોદેશના ખેડૂતોને મળશે હવે આયાતી માલ કરતા વધુ ગુણવત્તાસભર અને સસ્તું ખાતરકેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીખાતેથી જીએસએફસી દ્વારા ઉત્પાદિત સ્વદેશી કેલ્શિયમ નાઇટ્રેટ્ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ્ના વેચાણનો શુભારંભ કરાવ્યોહતો.આ બંને ઉત્પાદનો ભારતમા સો ટકા આયાત કરવામાં આવતા હતા, જેનું જીએસએફસી દ્વારા સૌ પ્રથમ વખત દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ તેના વેચાણ ની શરૂઆત હિમાચલ પ્રદેશના સોલન અને ગુજરાત ના ભાવનગર ખાતે કરવામાં આવી હતી.