BREAKING

ભાવનગર શહેરના જવાહર મેદાન આજુબાજુમાં કરાયેલા દબાણો આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા

                             તસ્વીર:- શૈલેષ રાવળ
ભાવનગર શહેરના જવાહર મેદાન આજુબાજુમાં કરાયેલા દબાણો આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા મામલતદાર એસપી અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે તે જવાહર મેદાન ની આજુબાજુ માં રેલવે ની પડતર જગ્યામાં મનપા દ્વારા જોકર પાર્ક બનાવવામાં આવશે જેને લઇને આ દબાણો દૂર કરવામાં આવ્યા છે.

ભાવનગર શહેરના તળાજા રોડ ને અડીને આવેલ જવાહર મેદાન કે જે ગધેડીયા ફિલ્ડ તરીકે ઓળખાય છે, જવાહર મેદાન ની અડીને ઝુપડપટ્ટી સાહેબના દબાણો ખડકાઇ ગયા હતા જે દબાણ આજે ભાવનગર સીટી મામલતદાર ની ટીમ, ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ તેમજ પોલીસ કાફલા સાથે દૂર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જવાહર મેદાન ની આજુબાજુ માં ઝૂંપડપટ્ટીના દબાણ વારંવાર દૂર કરવામાં આવે છે પરંતુ થોડા સમયમાં દબાણો યથાવત સ્થિતિમાં આવી જાય છે. જેને લઇને દબાણો ફર થાય નહિ અને લોકોને સુંદર જોગર્સ પાર્ક મળે તે માટે જવાહર મેદાન અડીને આવેલ 1800 મીટર જેટલી લાંબી જગ્યામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જોગર્સ પાર્ક બનાવવામાં આવશે, અત્રે ઉલ્લેખનીય છે કે 1800 મીટર લાંબી જગ્યા રેલવેની માલિકીની જગ્યા છે, અને રેલવે દ્વારા આ જગ્યા જોગર્સ પાક બનાવવા માટે મહાનગરપાલિકાને સત્તાવાર સોંપી દેવામાં આવી છે. દબાણો દુર કર્યા બાદ અહીં જોગસ પાર્ક અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો