BREAKING

એક સાથે 22222 વિદ્યાર્થીઓ એ કર્યું ગીતાના શ્લોકનું પઠન.

ભાવનગર: સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા ચાલી રહેલા મહોત્સવ દરમિયાન 22,222 વિદ્યાર્થીઓનું એક સાથે ગીતા જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જવાહરમેદાન ખાતે યોજાયેલા એકાદશી કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મનસુખ માંડવીયા અને વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. વહેલી સવારે ગીતાના પ્રથમ અધ્યાયનું જ્ઞાન સામુહિક રીતે 22,222 વિદ્યાર્થીઓ દ્વારા સુર અને તાલ સાથે યોજવામાં આવ્યું હતું. આ અદભૂત નજારાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉભા રહી ગયા હતા. ગુજરાતમાં પ્રથમ આ પ્રકારના કિસ્સો હોવાથી તેની સરાહના પણ કરવામાં આવી રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો