લોકો ના કામોના સ્થળ પર નિકાલ થાય તે માટે સરકાર દ્વારા "સેવા સેતુ" કાર્યક્રમનો દરેક જિલ્લામાં તબક્કા વાર શરૂઆત કરવામાં આવી છે.
સરકારશ્રી ની યોજનાઓના લાભ,અને સહાયતા,અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ અધિકારીઓ ની હાજરીમાં જ લોકોના ઘર આંગણે થાય તે માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ કરવાં માં આવી રહ્યો છે, આ કાર્યક્રમ ના ભાગ સ્વરૂપ આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના સોનાપરી ગામે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા જિલ્લા કલેકટર હર્ષદ પટેલ તેમજ મહનુભાવો ની હાજરી માં યોજાઈ ગયો જેમાં અધિકારીઓ ની હાજરીમાં લોકોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો......


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો