જૂની નોટો બંધ થયા બાદ ઠેર ઠેર નોટ બદલવા માટે ની રામાયણ જોવા મળી રહી છે, ત્યારે ઘણી ગામડાઓ છે કે જ્યા બેન્ક દ્વારા મળતીયાને બેન્ક દ્વારા અંદરખાને બોલાવી ને રકમ આપતી હોવાની રાવ મળી રહી છે. ત્યારે આજે આ રાવ ની સામે અમરી ટીમ દ્વારા જુદા-જુદા બેંક અધિકારીઓ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને લોકોની હાલાકી અંગે પ્રશ્નો પૂછવામાં આવતા તેઓ એ કહ્યું હતું કે અમારે બેંક ચાર વાગ્યા સુધી જ ખુલી રાખવાની હોય છે અને બાકીની કેશ મેળવવામાં એક કલાક સુધીનો સમય જતો હોય છે અને આરબીઆઈને ઓનલાઈન રીપોર્ટ આપવાનો હોય અમારે ચાર વાગ્યે બેંક બંધ કરવી જ પડે, અમારે આ બધું પૂર્ણ કરવામાં રાતે આંઠ વાગ્યા જેવો સમય લાગતો હોય અને કામના કલાકો કરતા ઘણાબધા વધારે કલાકો કામ કરતા હોય ત્યારે કામચોરી નો કોઈ પ્રશ્ન હોતો નથી પરંતુ આમરે ઘણા બધા ટેકનીકલ કામો પતાવી ને જ ઘેર જવું પડે આવા વહીવટી કારણોસર આમો ચાર વાગ્યે વહીવટ બંધ કરી દેતા હોઈએ છીએ,
અહિયાં પ્રશ્ન એ થાય છે કે આખી જિંદગી આરામ થી એસીમાં નોકરી કરતા કર્મચારીઓ અને આધિકારીઓ જ્યારે અત્યારે દેશની આ પરિસ્થતિમાં થોડુક વધારે સમય કામ કરે તો તેમાં શું મોટી ધાડ મારે છે, પોતાના કામ વધારાના રોદણા રડતા આ આધિકારીઓ અને કર્મચારીઓ સરકાર ની નવી નીતિ સામે સમત થઈ પ્રજાલક્ષી અભિગમ અપનાવે તો પ્રજાની આ હાલાકી મહદઅંશે હલ થઈ શકે, સમગ્ર દેશ જ્યારે નાજુક દોર માંથી ગુજરી રહ્યો છે ત્યારે પોતાના કામ દ્વારા તેમાં મહતમ યોગદાન આપવાના બદલે જુદા-જુદા બહાનાઓ કાઢી આ લાડસાહેબો શું પુરવાર કરે તે આવનારો સમય કહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો