BREAKING

ભાવનગર શહેર ખાતે સરદાર યુવા મંડળ દ્વારા સરદાર સાહેબના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું આજે સિત્તેરમો નિર્વાણ દિવસ છે ત્યારે ભાવનગર શહેર ખાતે સરદાર યુવા મંડળ દ્વારા દર વર્ષે અનોખી રીતે સરદાર સાહેબના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે સરદાર બાગ ખાતે પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.

.                તસ્વીર :- શૈલેેષ રાવળ 

દેશના એકત્રીકરણ માં જેમનો સૌથી મહત્વનો ફાળો છે તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે ૭૦મો નિર્વાણ દિવસ છે, ત્યારે ભાવનગર શહેર સરદાર યુવા મંડળ દ્વારા દર વર્ષે સરદાર સાહેબના નિર્વાણ દિવસ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના મહામારી ને લઈને સરદાર યુવા મંડળ દ્વારા મોટા કાર્યક્રમ કરવાના બદલે ભાવનગર શહેરના સરદાર બાગ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ભાવનગરના પૂર્વ મેયર મનપા મોરી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, તેમજ ભાજપ અગ્રણી યોગેશભાઈ બદાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પુષ્પાંજલિ કરી હતી. તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા કોરોના વોરિયર્સ સરદાર સાહેબ ના ચિત્રો, દેશ ના ઇતિહાસ ના ચિત્રો જેવા વિવિધ ચિત્ર દોરી અને સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમજ સ્પર્ધામાં વિજેતા બાળકો ને સરદાર યુવા મંડળ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો