BREAKING

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં પૂર્ણ સમર્થન આપ્યું

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં પૂર્ણ સમર્થન આપ્યું.

                      તસ્વીર :- શૈલેષ રાવળ
ભાવનગર જિલ્લાના યુવાન જીજ્ઞેશ કંડોલીયા દ્વારા ચાલી રહેલા અભિયાનમાં આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયાએ પૂર્ણ સમર્થન આપ્યું અને તેમણે જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રજવાડું ન્યોછાવર કરી આમ વ્યક્તિ બની દેશભાવના અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું . તેમને ભારત રત્ન મળે તે બાબતે માનનીય રાષ્ટ્રપતિ, અને વડાપ્રધાનને અમે રજુઆત કરીશું અને આ અભિયાનમાં અમે સાથે જ છીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો