BREAKING

આગમી ફેબ્રુઆરીમાં પાલીતાણા ખાતે બાબર જ્ઞાતિના સમુહલગ્ન યોજાશે.


પાલીતાણા તાલુકા બાબર જ્ઞાતિ દ્વારા આગામી તા.18.2.17 ના રોજ પાલીતાણા ખાતે જ્ઞાતિ ના છઠ્ઠા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે જે અંગેના ફોર્મ ભરવાંક છેલ્લી તારીખ 10.12.16 રાખવમાં આવેલ છે જે અંગે જ્ઞાતિજનોએ પાલીતાણા બાબર જ્ઞાતિ સમુહલગ્ન કમિટી નો સંપર્ક કરવાનો રહેશે.
       આ અંગે આજે પાલીતાણા ના દુધાળા ખાતે એક કમિટી ની મીટીંગ યોજાઈ ગઈ. આ મીટીંગ માં લગ્ન ના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ લગ્ન ના કરિયાવર અંગે, લગ્ન ના સ્થળ અંગે તેમજ આયોજન સુઘડ અને સારી રીતે કેમ કરવું તે અંગે જ્ઞાતિના આગેવાનો એ ચર્ચા કરી.
         આ મીટીંગ માં પ્રમુખ શ્રી શામજીભાઈ સોસા, મંત્રી ભીખાભાઇ બાખલાકીયા, આગેવાનો માં ભીખાભાઇ મકવાણા, બાઘાભાઈ સોસા, રીટાયર્ડ પીઆઇ સોલંકી સાહેબ, ભરતભાઈ મકવાણા, વિજયભાઈ ઝાલા, મનુભાઈ પાટી, ઓધાભાઈ ગઢાદ્રા, અજયભાઈ, કરશનભાઈ, ભુપતભાઈ ભટ્ટી, વલ્લભાઈ ભગત, પરેશભાઈ ભટ્ટી, મકાનભાઈ શેઠ સહીત ના આગેવાનો હાજર રહ્યા..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો