સિંહોર બ્યુરો
તા.12 ઓગષ્ટ.17
ગિરિમાળા પર બિરાજમાન સુંદર ગિરિમાળાઓથી શોભતા સિહોરી માતાના ડુંગર જુનાગઢના ગિરનારની ઝાંખી કરાવે છે. સિહોર ગિરિમાળાઓની વચ્ચે વસેલું શહેર છે. આ શહેરમાં ઘણા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાં સૌથી વધારે ઉંચાઇ પર આવેલું સ્થળ એટલે સિહોરી માતાનું મંદિર. વધારે ઉંચાઇ ધરાવતા આ મંદિરે જવા માટે ભાવનગરી દરવાજા નજીક પગથિયા છે. આ મંદિરે પહોંચવા માટે ભકતજને 300 થી વધારે પગથિયાનું ચઢાણ પાર કરવું પડે છે. સિહોરી માતાના મંદિરેથી સમગ્ર સિહોરનો સુંદર અને રમણીય નજારો નિહાળી શકાય છે.
ગિરનારની ઝાંખી કરાવતો સિહોરી માતાનો ડુંગર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો