ભાવનગરના તળાજા માં શિક્ષણ જગતને લાંચન લાગતો કિસ્સો ફરી એકવાર બન્યો છે, તળાજામાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે હવે એક જ મહિનામાં બીજી ઘટના ને લઈને વાલીઓ ચિંતિતિ જોવા મળી રહ્યા છે.
હજુ થોડા દિવસ પહેલા તળાજાના ભાલાર ગામે ૧૫ જેટલા વિધાર્થીને ઢોર માર માર્યા ની ઘટના હતી અને આ ઘટના બાદ વાલીઓ દ્વારા શિક્ષક સામે રોષ ફાટી નીકળ્યો હતો, જો કે ફરી આવી ઘટના બનતા હવે આવા શિક્ષકો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તળાજાના સમર્પણ વિદ્યાલયમાં ધો-૮માં અભ્યાસ કરતા અને ધો-૫ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને શાળાના શિક્ષકે પ્લાસ્ટિક ની પાઈપ વડે ઢોર માર મારતા બન્ને વિદ્યાર્થીને પીઠ પર, હાથે-પગે વાગ્યા ની નિશાન પડી ગયા હતા, આ બન્ને વિદ્યાર્થીઓ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા હોય જેના કારણે માર માયો હોવાનું જણાવી રહ્યા છે. જો કે આ સમગ્ર ઘટના ને લઈને વાલીઓ શાળાએ દોડી ગયા હતા, આ ઘટના અંગે તેઓ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો