BREAKING

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તળાજા માર્કેટ યાર્ડમાં ખેડૂત ભાઈઓને મગફળી નહિ લાવવા અનુરોધ કરવામા આવ્યો

 હાલ માવઠું થયેલ હોય ત્યારે તળાજા યાર્ડના ગ્રાઉન્ડ માં મગફળી ઉતારી શકાય તેમ ન હોવાથી તા:૧૪/૧૨/૨૦ ના રોજ મગફળી હરરાજી બંધ રહેશે. તથા બીજીવાર જાણ કરવામાં ન આવે ત્યાં સુધી મગફળી ન લાવવા જાણ કરવામાં આવે છે. તેમ છતાં કોઈ ખેડૂત ભાઈઓએ મગફળી લઈને આવશે તો ગેટ પ્રવેશ આપવામાં આવશે નહીં અને તેનાથી ઉદભવતા તમામ પ્રશ્નોની સંપૂર્ણ જવાબદારી ખેડૂતભાઈ ની રહેશે,જેની દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકો એ નોંધ લેવા યાર્ડ ના પ્રમુખશ્રી,ઉપ પ્રમુખશ્રી દ્વારા જાણ કરવામાં આવી છે તેમજ અનાજ- કઠોળ તથા કપાસ ની હરરાજી રાબેતા મુજબ શરૂ રહેશે તેવું માર્કેટ યાર્ડ - તળાજા સેક્રેટરી એ.એસ.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો