BREAKING

BREAKING : અવાણીયા પાસે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકચાલકનું મોત



તસ્વીર-યોગેશ ભુતૈયા

ઘોઘા તાલુકાના અવાણીયા ગામના પાટિયા પાસે એક લાકડા ભરેલ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું ,બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર તળાજા તાલુકાના મધુવન ગામના પ્રદીપસિંહ રાઠોડ અવાણીયા ગામે પોતાના સબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવેલ હતા અને લગ્ન પુરા થતા તેઓ પોતાનું બાઇક GJ-03-JF 7174 લઇને પોતાના ગામ જતા હતા ત્યારે અવાણીયા ગામના પાટિયાથી આગળ આવતા રોડ પરથી સામે આવી રહેલ રિક્ષા નં GJ04 AJ 4971 વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પ્રદીપસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે અકસ્માત સર્જી રિક્ષા ચાલક રિક્ષા છોડી ફરાર થઇ ગયો હતો,જયારે ઘટનાની જાણ તથા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના પાયલોટ રાજેન્દ્રસિંહ ગોહિલ અને ઈ.એમ.ટી નિતેશભાઈ વંકાણીની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘોઘા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈને લાશનું પંચરોજ કામ કરી લાશને પી.એમ અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે,અને ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો