રિપોર્ટ-હેમંત ડાભી.વલ્લભીપુર
ભાવનગર ના વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓની દુર્દશા ના કારણે રાહદારીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે,વલ્લભીપુર ના રતનપુર (ગા) થી મોટીધરાઈ, રાજગઢ, વેળાવદર થી ધોલેરા તારાપુર તરફ જવાના હાઈવે પર જવા માટે નો એકમાત્ર રસ્તો છે જયા પુલ મા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, આ ખાડાઓના કારણે અકસ્માત થવાની ભીતિ છે, આ રોડ પર બંને બાજુ બાવળોનું સામરાજ્ય જામ્યું છે. આ રસ્તે થી રાજગઢ વેળાવદર મોટીધરાઈ ના વીધાર્થીઓ અને રાહદારીઓ રોજ આવવા જવા માટે નો રસ્તો છે, રોડ લર ના ખાડા અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ની આખ આડા કાન કરી રહ્યું છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો