ભાવનગર ના છેવાડાના વિસ્તાર એવા સ્વસ્તિક પાર્ક.2 સોસાયટીમાં છ વાગ્યા થી લાઈટ ગુલ થઈ ગઈ છે, ફરિયાદ પણ આપી દેવાઈ છે આમ છતાં હજુ સુધી આ વિસ્તારમાં લાઈટ આવી નથી, ત્યારે એસીમાં બેઠેલા પીજીવીસીએલના અધિકરીઓ સ્થાનિકો ને ઉડતા જવાબો આપી રહ્યા છે...એક ઉચ્ચ અધિકારીઓ તો એવો જવાબ આપે છે કે રાત્રીના સમયે જીવન જોખમે કર્મચારી કામ ન કરે...ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ક્યાંય પણ રાત્રે પીજીવીસીએલના કર્મચારીઓ કામ નહીં કરતા હોય...કે પછી આ નિયમ માત્ર પછાત વિસ્તારો પૂરતો જ છે...?
સ્વસ્તિક પાર્ક 2 સોસાયટી એ કંસારા ની કાંઠે આવેલ સોસાયટી છે અને જ્યાં મચ્છરો નો અસહ્ય ત્રાસ છે અને હાલ રોગચાળો પણ વકર્યો છે.ત્યારે આવા સંજોગમાં નિયમ માં ના આવતું હોય તો પણ માનવતા ની દ્રષ્ટિએ વીજ પુરવઠો ચાલુ કરી દેવો જોઈએ...જો કે જાડી ચામડીના અધિકરીઓ આ લોકોનું દર્દ સાંભળવા તૈયાર જ નથી..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો