સૌજન્ય. નિલેશ.આહીર. ઉમરાળા
લખાઈ છે ત્યારે રાત્રીના ૧૦.કલાક અને ૧૫ મિનિટે ભાવનગરના ઉમરાળા પંથકમાં ચકચાર મચાવતા અહેવાલો સામે આવ્યા છે ભાવનગરમાં ઉમરાળાના ટીંબી ગામે હાલ જ વાડી વિસ્તારમાં યુવાનની હત્યા થઈ હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે ઉમરાળાના ધોળા નજીક આવેલ ટીંબી ગામે રહેતા રાઠોડ પ્રદીપ નામના ૨૧ વર્ષના યુવાનની કોઈ કારણોસર હત્યા થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે અને ઘટના ટીંબી વાડી વિસ્તારમાં બની હોવાનું નજીકના સૂત્રો જણાવી રહ્યા છે ઘટનાને લઈ ઉમરાળા પોલીસનો મોટો કાફલો દોડી ગયો છે હત્યારાઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો