BREAKING

ઝાંઝરીયા હનુમાનજીના સાનિધ્યમાં હનુમાન જયંતીના દિવસે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

સૌજન્ય. અજય બુધેલીયા.ભાવનગર

અધેવાડાના પ્રસિધ્ધ ઝાંઝરીયા હનુમાનજીના સાનિધ્યમાં આગામી શનિવારે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે જમાં હનુમાન જયંતીની ઉજવણી સાથે રકતદાન કેમ્પ અને સંતવાણી ડાયરાનું આયોજન હાથ ધરાયુ છે. 

આ વર્ષે હનુમાન જયંતિનું પર્વ શનિવારે આવે છે આથી ભાવિકોમાં ઉત્સાહ બેવડાયો છે, આ પાવન પર્વની ઉજવણી કરવા ઝાંઝરીયા હનુમાનજીના શ્રદધાળુઓમાં ઉમંગ ઉત્સાહ જોવ મળી રહ્યો છે. દાદાની ભાવ ભકિત સાથે વિવિધ ધાર્મિક કાર્યોનું આયોજન કરાયું છે, જેમાં શનિવારે સવારૅ ૫ વાગૅ ધ્વજારોહણ બાદ પૂજન,અર્ચન અને ૧૧.૩૦ કલાકથી મહાપ્રસાદ વિતરણ કરાશે તથા ભાવનગર બ્લડ બેંકના સહયોગથી થેલેસેમિયા પીંડીંત બાળકો માટૅ રકતદાન કેમ્પ સવારના ૧૦થી રાત્રીના ૮ સુધી આયોજીત કરાયેલ છે જેમાં સ્વૈચ્છિક રકતદાતાઓને રકતદાન માટૅ અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્વ રોગ નિદાન કેમ્પનુ' પણ વિનામૂલ્યે આયોજન કરાયું છે , કાર્યક્રમના આયોજનમાં પૂજારી મંછારામબાપૂ અને ઝાંઝરીયા હનુમાનજી મિત્ર મંડળના કાર્યકરો ભારે  જહેમત ઉઠાવી રહ્યા છે. શનિવારે રાત્રે સંતવાણી ડાયરાનું આયોજન કરાયું છે જેમાં અનિલ વાંકાણી, સુખદેવ ધામેલીંયા, નિકિતાબેન ગોહિલ અને કાજલબેન ચૌહાણ, તથા સાજીંદાઓ કલા પીરરાશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો