BREAKING

સીદસર માં કાકાની ભત્રીજાએ કરી હત્યા.




ભાવનગર
ભાવનગરના સીદસર વિસ્તારના પચ્ચીસ વારિયા ગત રાત્રીના સમયે કૌટુંબિક ઝગડામાં થયેલી બોલાચાલીમાં ભત્રીજાએ કાકા નું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.જયારે વચ્ચે બચાવવા પડેલા એક વ્યક્તિ ને પણ ઈજા થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે .આ બનાવ ના પગલે એલ.સી.બી-એસ.ઓ.જી તથા વરતેજ પોલીસ નો મોટો કાફલો ત્યાં દોડી ગયો હતો અને હત્યા કરી ને નાસી છુટેલા ભત્રીજા ને શોધખોળ હાથ ધરી છે .

થોડા દિવસો સુધી ખૂની ખેલ ના રંગ માંથી બાકાત રહેલું ભાવનગર ફરી પાછું લાલ રંગ માં લપેટાયું છે.ભાવનગર શહેર ના લોકો નોટબંધી ના સમય માં લાઈનો માં વ્યસ્ત હોય કોઈ ખૂન ની ઘટના બનવા પામી ના હતી  ફરી ભાવનગર માં એક ખૂન ની ઘટના ને અંજામ આપવામાં આવ્યો છે .સીદસર ના પચ્ચીસ વારીયા વિસ્તાર માં રહેતા રૂપાભાઈ નાનજીભાઈ પરમાર નો પરિવાર અને તેમના કુટુંબીજનો વચ્ચે પારિવારિક ઝગડો થતા ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.જેમાં ઉશ્કેરાય ગયેલા ભત્રીજા એ તેમના કાકા રૂપાભાઇ ની તીક્ષ્ણ હથિયારો ના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી .જયારે વચ્ચે પડેલા અન્ય એક કુટુંબીજન ને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે .આ બનાવ ના પગલે એલ.સી.બી-એસ.ઓ.જી તથા વરતેજ પોલીસ નો મોટો કાફલો ત્યાં દોડી ગયો હતો અને આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી તેમજ હત્યા કરી ને નાસી છુટેલા ભત્રીજા ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે .



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો