તળાજા ના ખાનગી હોસ્પિટલ ચલાવતા તબીબ ડો.મિલન અગ્રવત પર હુમલો થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જેન લઈને પોલીસે આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી કરતા હુમલો કરનાર બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે, જો કે આ હુમલાના ના માસ્તર માઈન્ડ તળાજા ના અન્ય તબીબી હોવાનો ખુલાસો થતા તબીબી આલમ માં ચકચાર મચી ગઇ છે.
તળાજા શહેરમાં ચિરંજીવી નામની ખાનગી હોસ્પિટલ ધરાવતા ડો.મિલન અગ્રવત પર બે દિવસ પહેલા બે અજાણ્યા ઈસમોએ છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, આ ઘટના બાદ ઘટના ના ઘેરા પર્યઘાતો પડ્યા હતા અને આરોપીને ઝડપી લેવા તળાજા તબીબ એસોસિએશન દ્વારા રેલી સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જો કે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તળાજા પોલીસ દ્વારા સીસીટીવી તપાસતા તેમાં ચેતન વિક્રમભાઈ બરાળ તેમજ મેહુલ કેશુભાઈ મોભ નમાંના બે ઈસમો હોવાનું જાણવા મળતા પોલીસે બંને ઇસમોને મોબાઈલ નંબરો મેળવી લોકેશન ટ્રેસ કરતા સુરત જેવા શહેરના લોકેશન આવતા હતા, જો કે આજે આ બન્ને ના લોકેશન ભાવનગર ના તળાજા જકાતનાકા નું આવતા તળાજા પોલીસ દ્વારા ભાવનગર વોચ ગોઠવતા બન્ને ઈસમો ઝડપાઇ ગયા હતા.
જો કે પોલીસે બન્ને ઇસમોની કડક પૂછપરછ કરતા બન્ને ઈસમો એ આ ઘટના ના માસ્તર માઈન્ડ અંગે ઘસ્ફોટ કર્યો હતો, આ બન્ને આરોપીઓ શિવમ હોસ્પિટલ ના ડોકટર કાતરિયા ના સંબંધી હતા અને ડોકટર કાતરિયા ને ત્યાંજ ભોગ બનનાર ડોકટર મિલન અગ્રવત કામ કરતા હતા અને બાદમાં તેની ખાનગી હોસ્પિટલ બનાવી ત્યાં પ્રેક્ટિસ કરતા હતા, મિલન અગ્રવત ડો.કાતરિયા ના દર્દીઓ ને બોલાવી ને સારવાર કરતા હોવાની દાજ રાખી અને આ હુમલો ડો.કાતરિયા એ કરાવ્યો હોવાનું કબુલ્યું હતું. પોલીસે આ ઘટના ના માસ્ટર માઈન્ડ ડો.કાતરિયા ને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો