પળેપળ ના સમાચાર જોવા અમારી યૂટ્યૂબ ચેનલ સબક્રાઇબ કરો....અહીં ક્લિક કરો
તસ્વીર સૌજન્ય.અરવિંદ રાઠોડ
સુરત
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હજરત બાલાપીર દરગાહે ચમત્કારની વાતો વહેતી થતા મોડી રાત્રે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દરગાહમાં મઝાર હલી રહી હોવાની વાત ફેલાતા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થવા માંડતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.રિંગરોડ પર ઉધના દરવાજા પાસે ટ્રાફિક પોલીસ ચોકીની બાજુમાં વર્ષો જૂની હજરત બાલાપીરની દરગાહ છે. માત્ર મુસ્લિમો જ નહિ, સ્થાનિક હિન્દુ માટે પણ આસ્થાના પ્રતિક સમાન આ દરગાહ રવિવારે રાત્રે અચાનક ચર્ચામાં આવી ગઈ હતી. રાતે સાડા દસ વાગ્યાની આસપાસ એવી વાત વહેતી થઈ હતી કે, દરગાહમાં ચમત્કાર થયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો