BREAKING

તળાજાના દેવલી ગામે પાણીમાં ડૂબેલ યુવકની લાશ મળી


તસવીર સૌજન્ય અશોક મકવાણા અને ફિરોઝ દસાડિયા તળાજા

ભાવનગર જિલ્લાના તળાજામાં સરતાનપર રોડ પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સરતાનપર રોડ પર આવેલા નાળામાં પાણીમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

આ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. અને તે તળાજાના દકાના ગામનો રહેવાસી હોવાનું જણાયું છે. બનાવની જાણ થતા તંત્રએ દોડી જઇને આ યુવાનના મૃતદેહને બહાર કાઢીને PM માટે ખસેડ્યો છે. આ યુવાને આ૫ઘાત કર્યો છે કે ૫છી તેની હત્યા થઇ છે ? અકસ્માતે પાણીમાં ૫ડી ગયો છે ? વગેરે દિશામાં તંત્રએ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન બાબતે તેના ૫રિવારને જાણ કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો