BREAKING

પાલીતાણા ના ખીજડીયા ગામેથી પીજીવીસીએલનાં કર્મચારની ની હત્યા કરાયેલ લાશ મળી.



અરવિંદ રાઠોડ- પાલીતાણા

ભાવનગર જીલ્લામાં સતત વધી રહેલ હત્યાના બનાવો આમને લઈને હવે આમ આદમીએ જીવવું ભારે થઈ પડ્યું છે, બિહાર કરતા પણ બદતર પરિસ્થિતિ ભાવનગરમાં સર્જાઈ છે. એકાતરા હ્ત્યાકે ખૂની હુમલાના બનાવો જીલ્લામાં બની રહ્યા છે ત્યારે આજે પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામની સીમ માંથી પીજીવીસીએલનાં કર્મચારીની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાયેલ લાશ મળી આવ્યા ચકચાર મચી ગઈ છે.

ભાવનગર શહેરમાં હજુ થોડા દિવસ પહેલા જ ખૂની ખેલ ખેલી અને એક યુવકને મોત ને ઘાટ ઉતારી દીધાની ઘટના ની શાહી હજુ સુકાઈ નથી ત્યાજ વળી આજે ફરી કે વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. પાલીતાણા તાલુકાના ખોદીઢાળ પીજીવીસીએલનાંની ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારી ગીરીશભાઈ વિરજીભાઈ જાદવ ની માથાના ભાગે બોથડ પદાર્થ ના ઘા મારીને હત્યા નીપજાવેલ હાલતમાં લાશ મળી આવતા લોકોમાં ભય નો માહોલ ફેલાયો છે. આજે સાવન સમયે આહી લાશ પડી હોય સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ લાશ પીજીવીસીએલનાંના કર્મચારી વિરજીભાઈ ની હોવાનું જાણવા મળ્યું હતું આથી પોલીસ પીજીવીસીએલનાં ના અધિકારીઓને જાણ કરતા પીજીવીસીએલનાં ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા,




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો