BREAKING

ખાનગી મીની બસે લીધો વધુ એક નો ભોગ.


સલીમ બરફવાલા-સિહોર
ભાવનગર થી અમદાવાદ જવાના બન્ને માર્ગ દિનપ્રતિદિન ગોજારા બની રહ્યા છે ત્યારે આજે ફરી ભાવનગર અમદાવાદ વાયા વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામ નજીક એક ખાનગી બસ ચાલકે બાઈક સવાર ને અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે અન્ય એક ને ગંભીર ઈજા થતા તેને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ભાવનગર જીલ્લામાં ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે તેમાય ખાસ કરીને વલ્લભીપુર , બોટાડ , બરવાળા રૂટ ની જે ખાનગી મીની બસો ચાલી રહી છે તેઓ પેસેન્જર લેવાની લાયમાં બેફામ વાહન ચલાવીને નિર્દોષ લોકોને ભોગ બનાવી રહ્યા છે, હજુ થોડા દિવસ પહેલા જ ખાનગી બસ પલટી મારી જતા ૧૫ લોકોને ઈજા થઈ હતી ત્યારે આજે આવી જ એક ખાનગી બસ ચાલકે બાઈક સવાર ને અડફેટે લઈને મોત ને ઘાટ ઉતારી દીધો છે. વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની જયદીપભાઈ પ્રેમજીભાઈ ઝાપડિયા અને સંજયભાઈ ગોબરભાઈ મેર નામના યુવકો કોઈ કામકાજ ને લઈને કાનપર થી પાલીતાણા જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ-ભાવનગર વાયા વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામ નજીક ખાનગી બસના ડ્રાઈવરે બેફિકરાઈ થી બસ ચલાવી ને બાઈક પર જઈ રહેલ આ બન્ને યુવક ને અડફેટે લેતા સંજયભાઈ મેર નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ત્યારે તેની સાથે રહેલ જયદીપને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક ૧૦૮ મારફતે ભાવનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો