BREAKING

પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ



ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી  કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાવનગર જિલ્લાના આયોજન હેઠળના ચાલું વર્ષના રૂ. ૧,૪૩૨.૩૨ લાખના ૫૩૦ કામોને મંજૂરી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી  કિરીટસિંહ રાણાએ તમામ મંજૂર કામો તેની સમયમર્યાદામાં પૂર્ણ કરી પ્રજાજનોની સુવિધામાં વધારો કરીએ તે પ્રાથમિકતા આપણી પ્રાથમિકતા હોવી જોઇએ તેમ જણાવી આગામી ૩૦ મી એપ્રિલ પહેલાં કામોની શરૂઆત થઇ જાય તેથી ચોમાસા પહેલાં તે કામો પૂર્ણ થાય તેવી શિસ્તથી ઝડપથી કામોની શરૂઆત કરવા ઉપસ્થિત અધિકારીઓને જનહિતલક્ષી અભિગમથી કાર્ય કરવાં અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વ આત્મારામભાઇ પરમાર, વિભાવરીબેન દવે, કનુભાઇ બારૈયા, ભીખાભાઇ બારૈયા, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખઓ, કલેક્ટર યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો