BREAKING

કુંઢેલી ગામ ઠાકર દ્વાર પાટોત્સવ

 તળાજા તાલુકાના કુંઢેલી ગામે આવેલ સુપ્રસિદ્ધ ઠાકર દ્વારા ખાતે તા.02/02/2022 ને બુધવાર ના રોજ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
   પ્રતિવર્ષની  પરંપરા મુજબ રાત્રી દરમિયાન અહીં દેવાયત પંડિત દ્વારા સ્થાપિત પવિત્ર જ્યોત ના દર્શનનો લાવો ભાવિક ભક્તજનોને મળશે ,આ મહોત્સવ દરમિયાન રાત્રિના ગામ ધુમાડાબંધ સાથે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રી ના ભજન સંતવાણી પણ યોજાશે જેમાં સુપ્રસિદ્ધ કલાકાર પોપટ ભાઈ માલધારી તેમજ દાનાભાઈ ભરવાડ જેવા નામી-અનામી કલાકારો પણ હાજર રહેશે ધર્મ પ્રેમીઓને દર્શન પ્રસાદ તેમજ સંતવાણી ના ત્રિવેણી સંગમનો લાભ લેવા,
 કુંઢેલી ઠાકર દ્વારા ના મહંત નાથા બાપુ તેમજ ભગત પરિવાર ગોપાલ મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો