BREAKING

અવાણીયા વાડી વિસ્તારમાં ઇજાગ્રસ્ત થયેલ નિલગાયનું મૃત્યુ નીપજ્યું,ફોરેસ્ટ સ્ટાફ દ્વારા અંતિમવિધિ કરાઈ

ઘોઘા તાલુકાના અવાણીયા ગામ નજીક આવેલ એગ્રોસેલ કંપની પાસે આવેલ વાડી વિસ્તારમાં એક નીલગાય તાર ફેન્સીંગમાં ફસાતા તે ઇજાગ્રસ્ત થઇ હતી,ઇજાગ્રસ્ત થયેલ નીલગાય અંગેની જાણ ઘોઘા ફોરેસ્ટ કચેરી ખાતે કરવામાં આવતા વિક્રમભાઈ રાઠોડ સહિતનો ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થયો હતો,પરંતુ ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળે પહોંચે એ પહેલા જ નીલગાયનું મૃત્યુ નિપજયુ હતું,ત્યારબાદ ફોરેસ્ટ સ્ટાફ દ્વારા મૃત્યુ પામેલ નીલગાયને ઘોઘાના સોનારીયા તળાવ સામે આવેલ જગ્યા ખાતે લાવીને દફનવિધિ કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો