BREAKING

વરતેજ સીદસર રોડ પરથી તરુણની લાશ મળી આવી.



તસ્વીર-વિશાલ રાઠોડ/ભાવનગર

ભાવનગર નજીકના વરતેજ ગામ થી સીદસર જવાના રસ્તામાં મામાના ઢાબા ની બાજુમાં આવેલ નાળા પાસે અવાવરું જગ્યામાં એક સગીર બાળકની તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગેની જાણ પોલીસને થતા વરતેજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, ઘટનાના પગલે એલસીબી એસઓજી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાળકની લાશ પર તિક્ષ્ણ હથિયારોના ઘા જોવા મળ્યા હતા જેના પરથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે બાળકની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરી હોય જેને લઈને તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો