BREAKING

ઉડાન ટ્રસ્ટ ભાવનગર દ્વારા બાબર સમાજ ના નવનિયુક્ત કર્મચારી ઓનો સન્માન સમારંભ યોજાયો.

                               તસ્વીર:- શૈલેષ રાવળ

બાબર સમાજના યુવક-યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધે તે માટે ભાવનગરની ઉડાન ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના કાળિયાબીડ માધવાનંદ આશ્રમ ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના યુવક-યુવતીઓ તાજેતરમાં જ સરકારી નોકરીઓમાં લાગ્યા છે તેમનું સન્માન કરાયું હતું. 

આ કાર્યક્રમમાં પ્રાસંગિક વક્તવ્યમાં "શિક્ષણ થી જ સમાજ નો સર્વાંગી વિકાસ થાય" વિષય પર ડૉ જે.પી. મૈયાણી સાહેબ(ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના પ્રથમ કુલપતિ) નું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં મૈયાણી સાહેબે સમાજના વિદ્યાર્થીઓ અને લોકોને આજના સ્પર્ધાત્મક યુગમાં કાઈ રીતે સરકારી નોકરી મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો