BREAKING

સુરેન્દ્રનગર સમસ્ત બાબર સમાજ દ્વારા ભવ્ય સમુહલગ્ન યોજાઈ ગયા.

શ્રી સુરેન્દ્રનગર જીલ્લા સમસ્ત બાબર સમાજ તથા જોડાયેલ સમસ્ત બાબર સમાજ આયોજિત તારીખ 6/5/17 નાં રોજ થાનગઢ મુકામે સાતમા સમૂહ લગન નું ભગીરથ કાર્ય સફળતા સાથે સંપન્ન થયુ .તથા આ કાર્ય મા શ્રી કબીર યોગાઆશ્રમ નાં સંત શ્રી જય મુનિ બાપુ , સંસદીય મંત્રી શ્રી શામજીભાઈ ચૌહાણ , વિશ્વ હાસ્ય સમ્રાટ શ્રી શાહબુદ્દીન રાઠોડ ,શ્રી  ગોપલદાસ બાપુ, લાખિયણી,લાભૂરામ બાપુ , જન્સાલિ , પ્રતાપ ભાઇ ખાચર,થાનગઢ, ડો.ત્રિવેદી, તથા સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગેવનો અને સાધુ સંતોએ  પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ  પ્રભુતામાં પગલાં પાડનાર 13 નવ દાઁપતિઓને આશીર્વચન આપ્યા હતા,સાથે સાથે આ કાર્ય પાર પાડવામાં મહત્વ નું યોગદાન શ્રી થાનગઢ યુવા કાર્યકરો ને આભારી છે જે તમામ કાર્યકર્તાઓ, દાતાશ્રીઓ અને અત્રે ઉપસ્થિત રહેનાર તમામ આગેવનો ણવ જ્ઞાતિનજનો નો સુરેન્દ્રનગર બાબર સમાજ આભાર માને છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો