BREAKING

પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ભાવનગર શહેરમાં પક્ષીઓને બચાવવા મોબાઈલ વાન શરૂ કરવામાં આવી.


ભાવનગર શહેર જિલ્લામાં ઉત્તરાયણ નિમિતે NGO દ્વારા વન વિભાગ અને વેટનરી હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને બચાવવા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા સૌ પ્રથમવાર ભાવનગર શહેરમાં મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે, જેમાં વોલિયન્ટરની ટીમ અધ્યતન રેસ્ક્યુના સાધન સામગ્રી જરૂરી દવાઓ તેમજ તજજ્ઞ ડોક્ટરોની ટીમ સાથે આ મોબાઈલવાન ભાવનગર શહેરમાં દોડતી કરાય છે, તે મોબાઈલ વાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોના કોલ આધારિત પક્ષીઓનું રેકયું કરી તેમને પશુ દવાખાને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવી રહી છે.જેનો હેલ્પલાઇન નમ્બર ૬૩૫૬૩ ૭૧૦૦૦ છે.