BREAKING

શિશુવિહાર વિસ્તારમાં થયેલ ચોરીના આરોપી ઝડપાયા.



buy now


વિશાલ રાઠોડ/ભાવનગર

ભાવનગર ના શિશુવિહાર વિસ્તાર મા એક મુસ્લિમ પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગામ ગયો અને તસ્કરો એ ખેપ મારી 7.19 લાખ ની મતા ની ચોરી કરી હતી જો કે પોલીસે ગણતરી ની કલાકોમાં જ 5 આરોપી ને ઝડપી લાઇ તમામ મુદામાલ કબજે લીધો છે અને આ શખ્સો અન્ય કોઈ ચોરી મા સંડોવાયા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનવરના શિશુવિહાર જેવા પોષ વિસ્તાસરમાં તસ્કરો એ ચોરી કરી પોલીસ ને પડકાર ફેંક્યો હતો. જો કે ગણતરી ની કલાકો મા જ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. શિશુવિહાર નજીક રહેતા સજીદભાઈ હમીડાણી થોડા દિવસ પહેલા કોઈ ધાર્મિક વિધિ માટે બહારગામ ગયા હતા અને તે દરમ્યાન તેમના ઘર મા ચોરી થવા પામી હતી અને સજીદભાઈનું ઘર બંધ જોઈ રાત્રીના સમયે તેના ઘર ને તસ્કરો એ નિશાન બનાવ્યું હતું. સજીદભાઈના મકાનની અગાશી મા ચડી ને તસ્કરો તેમના ઘરના બારણા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરો એ તમામ વસ્તુઓ તેમજ કબાટ ના તાળા તોડી તેમાથી રોકડ રકમ, દાગીના મોબાઈલ ફોન વગેરેની ચોરી કરી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી અને આખરે 5 તસ્કરો પોલીસ ના હાથે ઝડપાઇ જવા પામ્યા છે. પોલીસે આ વિસ્તાસરમાં જ રહેતા અને ઘરફોડ ચોરી કરનારા.અસલમ ઉર્ફે સટ્ટો બેલીમ અને એહમદ સેતાની ધરપકડ કરી તેની આગવી ઢબે પુછપરછ કરતા તેમને ચોરી કરી હોવાનું કબુલ્યું. ,તેમની સાથે રહેલા અન્ય ઈસમો મુસ્તાક વારીયા, મહમદ શેખ,આફતાબ સેતા ની ધરપકડ કરી છે અમે તેમની પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો કર્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો